લેખિત બાબતો વિષે પુરાવો - કલમ:૧૪૪

લેખિત બાબતો વિષે પુરાવો

કોઇ પણ સાક્ષીને તેની તપાસ ચાલતી હોય ત્યારે એમ પૂછી શકાશે કે તે જેના વિષે પુરાવો આપી રહ્યો છે એવો કોઇ કરાર ગ્રાન્ટ કે મિલકતની બીજી કોઇ વ્યવસ્થા કોઇ દસ્તાવેજની અંદર કરવામાં આવી છે કે નહિ અને તે કહે કે તેમ થયું હતું તો અથવા અદાલતના અભીપ્રાય મુજબ રજૂ કરવો જોઇએ એવા કોઇ દસ્તાવેજના મજકૂર વિશે તે કંઇક કથન કરવા જતો હોય તો દસ્તાવેજ રજૂ કરવામાં આવે નહિ ત્યાં સુધી અથવા જેણે સાક્ષીને બોલાવ્યો હોય તે પક્ષકારને તે દસ્તાવેજનો ગૌણ પુરાવો આપવા હકદાર બનાવતી હકીકતો સાબિત કરવામાં આવે નહિ ત્યાં સુધી પ્રતિપક્ષી એવો પુરાવો આપવા સામે વાંધો ઉઠાવી શકશે, સ્પષ્ટીકરણઃ દસ્તાવેજોના મજકુર વિશે બીજી વ્યકિતઓએ કરેલા કથનો પ્રસ્તુત હકીકતો હોય ત્યારે કોઇ સાક્ષી તેના મૌખિક પુરાવો આપી શકશે. પાલમ ૯૧ અને કલમ ૯૨ નાં પ્રાવધાનોને અનુસરવા માટે આ કલમનું નિમૉણ કરવામાં આવ્યુ છે. આ કલમ સરતપાસ અને ઉલટતપાસ બંનેને લાગુ પડે છે. આ કામમાં જુદી જુદી પરિસ્થિતિઓનુ નિર્માણ થાય છે. ૧. (પહેલી) જયારે કોઇ જુબાની આપતો હોય ત્યારે તેને પુછવામાં આવે કે તમે જેનો પુરાવો આપી રહ્યા છો તે કોઇ કરાર, ગ્રાન્ટ કે મિલકતની વ્યવસ્થાના દસ્તાવેજની વિગતો કરવા બાબતે જતો હોય ત્યારે કોર્ટના અભિપ્રાય પ્રમાણે આ દસ્તાવેજ રજૂ કરવો જોઇએ. સામેવાળા પક્ષકાર પણ દસ્તાવેજ રજૂ કયૅ । વગર આવી જુબાની આપવા માટે વાંધો લઇ શકે અથવા તો જે પક્ષકારે સાક્ષીને બોલાવ્યો હોય તેણે દસ્તાવેજ અંગે ગૌણ પુરાવા આપવાના પુરાવા આપ્યા હોય.